જીવ શાસ્ત્ર
સ્ટાર્ચ પર થતી લાળની અસર સમજીશું.
લાળરસ :
લાળ એ સૌપ્રથમ ઝરતો પાચકરસ છે. તે સતત ઝર્યા કરે છે. રોજ આશરે 1.5 થી 2 લિટર લાળ ઝરે છે. તે મોઢાને સતત ભીનું રાખે છે. તે
ખોરાકના કોળિયાને ભીનો કરીને લિસ્સો બનાવે છે, તેમાંનાં કેટલાંક દ્રવ્યોને ઓગાળે છે અને રાસાયણિક પાચનક્રિયાની શરૂઆત કરે છે.
લાળરસમાં રહેલો એમાયલેઝ ઉત્સેચક ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે.
સ્ટાર્ચ :
સ્ટાર્ચ એ ગ્લુકોઝના પરમાણુઓથી બનેલું ઘટક છે. તે મોટા પરમાણુઓ (પોલિમર) નું બનેલું છે અને ઊર્જા સંગ્રહિત કરે છે.
તે આપણા રસોડામાં સંગ્રહિત ખોરાકમાં હોય છે. સ્ટાર્ચ પચવામાં ખૂબ જ સરળ ઘટક છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020