જીવ શાસ્ત્ર
વનસ્પતિના પ્રકાંડનું કાર્ય સમજીશું.
સૌપ્રથમ આપણે વનસ્પતિ વિશે થોડું જાણીએ.
વનસ્પતિ એટલે ખાસ કરીને વન વિસ્તારમાં ઊગતા હોય તેવા વેલા, વૃક્ષો, ઝાડ, પાન, ફળ, ફૂલ, છોડ વગેરેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.
વનસ્પતિના તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
(1) છોડ: જે વનસ્પતિનાં પ્રકાંડ લીલાં અને કૂમળાં હોય તેને છોડ કહે છે.તેઓ સામાન્ય રીતે નાના હોય છે. તેને વધારે શાખાઓ હોતી નથી. છોડ ઊંચાઈમાં ૨-૩ ફૂટ સુધીના હોય છે. ઉદા., તુલસી, બારમાસી, ઘઉં, બાજરી, મકાઇ વગેરે.
(2) ક્ષુપ: તે છોડ કરતાં ઊંચા અને વૃક્ષ કરતાં નાના હોય છે. કેટલીક વનસ્પતિની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે. તેનું પ્રકાંડ બદામી રંગનું હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે, પરંતુ બહુ જાડું હોતું નથી. આવી વનસ્પતિને ક્ષુપ કહે છે. ક્ષુપ ૩-૧૫ ફૂટ ઊંચાઈના હોય છે.
ઉદા., જાસૂદ, મહેંદી, કરેણ, લીંબુડી, દાડમડી વગેરે.
(3) વૃક્ષ: તે છોડ અને ક્ષુપ કરતાં વધુ ઊંચાઈનાં હોય છે. કેટલીક વનસ્પતિ ઘણી ઊંચી હોય છે. તેને જાડાં, ભૂખરાં અને વધુ મજબૂત પ્રકાંડ હોય છે. પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે, ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. આવી વનસ્પતિને વૃક્ષ કહે છે. વૃક્ષ ૧૫ ફૂટથી વધુ ઊંચાઈના ;હોય છે.
ઉદા., વડ, પીપળો, લીમડો, બાવળ, આંબો, આસોપાલવ, નારિયેળી વગેરે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020