રસાયણ શાસ્ત્ર
તટસ્થીકરણની પ્રક્રિયા સમજીશું
એસિડ અને બેઈઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.
આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ગરમી તટસ્થીકરણ ઉષ્મા તરીકે ઓળખાય છે.
આ પ્રક્રિયા એક એક્સચેંજ પ્રક્રિયા છે, કારણ કે પ્રતિક્રિયામાં પ્રવેશતા પદાર્થોની સંખ્યા અને પ્રાપ્ત થતા પદાર્થોની સંખ્યા સમાન છે.આ એક સરળ આયનિક એક્સચેંજ છે.
જે પદાર્થો ભીના ભૂરા લિટમસપત્રને લાલ બનાવતા નથી તેમજ ભીના લાલ લિટમસપત્રને ભૂરું બનાવતા નથી, તે પદાર્થો એસિડિક કે બેઝિક હોતા નથી. આવા પદાર્થો જે લિટમસપત્રો પર કોઈ અસર કરતાં નથી તેમણે તટસ્થ પદાર્થો કહે છે.
મીઠું, સુરોખાર, ગ્લુકોઝ, ખાંડ વગેરે તટસ્થ પદાર્થો છે. મીઠું અને સુરોખાર ક્ષાર છે, જ્યારે ગ્લુકોઝ અને ખાંડ ક્ષાર નહિ હોવા છતાં તટસ્થ પદાર્થો છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020