રસાયણ શાસ્ત્ર
દળ-સંચયનો નિયમ સમજીશું
દ્રવ્યમાન (દળ) એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે.
તે પદાર્થની અવકાશમાં સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી.
દ્રવ્યમાનનો SI એકમ કિલોગ્રામ (kg) છે.
વિશ્વમાં જોવા મળતાં વિશાળ પદાર્થો, ગ્રહો, તારા વગેરેનું દ્રવ્યમાન ન્યૂટનનાં ગુરુત્વાકર્ષણ બળના નિયમ વડે નક્કી કરી શકાય છે.
પરમાણુઓ જેવા સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે છે.
દળ-સંચયનો નિયમ: કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં કુલ દળ (મૂળ તત્વોનું દળ) એ પ્રક્રિયા પહેલાં અને પછી એક જ રહે છે.
આ નિયમ 1789માં એન્ટોઇન લાવોઇસિયર (Antoine Lavoisier) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ નિયમના આધારે, આપણે સમજી શકીએ છીએ કે દળને ન તો બનાવવામાં આવી શકે છે અને ન તો નાશ કરવામાં આવી શકે છે, તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020